પોસ્ટ્સ

ઑગસ્ટ, 2021 માંથી પોસ્ટ્સ બતાવી રહ્યું છે

ઝવેરચંદ મેઘાણીને સ્મરણાંજલિ by Chandrasingh

છબી
  ઝવેરચંદ મેઘાણી મેઘાણી, ચોટીલાની ધરા પર, અવતર્યો મેઘાણી! માં ધોળીબાઈની કુખ, દીપાવે મેઘાણી! પત્નીના મહેણાંથી હાલરડું‌‌, રચે‌ મેઘાણી! કસુંબલ શૌર્ય દેશદાઝ, રેલાવે મેઘાણી! આવજે, હાકલ કરુ "હું", હાવજ(મેઘાણી) આવજે! સવાસોમા જન્મ દિ'એ આવજે! નાતજાતના ભ્રમ તું ભાંગજે! ચરતી નારીને, ચારણકન્યા બનાવજે! રાજનીતિના ખેલ, તું હવે ઉખાડજે! ભડ નો દીકરો, અંગ્રેજોને બાથ ભીડી, તું ભડનો ‌દિકરો! આઝાદીની આગ લગાડી, ભડનો ‌દિકરો! લોકગીતોની લત લગાડી, ભડનો ‌દિકરો! "છેલ્લો કટોરો" ગીત બનાવ્યું, ભડનો ‌દિકરો! "શિવાજીનું હાલરડું" ગાયું, ભડનો દીકરો! "સૌરાષ્ટ્રની રસધાર" વહાવી, ભડનો દીકરો સ્તુતિ કરું, "ચંદ્ર"ને આશિષ આપો, સ્તુતિ કરું! "ચંદ્ર" ને એ જ્ઞાન આપો, સ્તુતિ કરું! "ઝવેરચંદ" શા શબ્દ ભણાવો, સ્તુતિ કરું! કેસરિયાળા ગીત ગવડાવો, સ્તુતિ કરું! શબ્દ મારા વાણ બનાવો, સ્તુતિ કરું! શ્રધ્ધા નું થઈ પોત પ્રકાશો, સ્તુતિ કરું! "ચંદ્ર"ને તમ શિષ્ય બનાવો, સ્તુતિ કરું! સારાંશ: ઉપરોક્ત કવિતા શ્રી ઝવેરચંદ મેઘાણી ને સમર્પિત છે. ઝવેરચંદ ની દરેક રચનાઓ એક ઝવેરીના ...

"ભારત ભોમ" By Chandrasingh

છબી
  અફઘાનમાં તિમિર તમરાની, તાજપોશી કાં? તિમિર્યુગમાં, તફડાયુ હવે ‌તે, આઝાદી છે ‌ક્યાં? બંદૂક તાણી, ઇસ્લામ વિજય કાં, ઇસ્લામ અંત? ભારત ભોમ, ધર્મોનેક, બંધુત્વ,  છે વિશ્વરૂપ. કહે "ચંદ્ર" હે, ભારતી! શીશ આપી, ચૂકવું ઋણ.   (85 અક્ષરનું કાવ્ય) ભાવાર્થ:  પ્રસ્તુત કવિતા જાપાની કાવ્ય પ્રકાર "હાઈકુ"માં લખવામાં આવી છે. જેનું બંધારણ 5-7-5 અક્ષર છે. 15 ઓગસ્ટ 2021ની મધ્ય રાત્રિએ જ્યારે ભારત આઝાદી નો અમૃત મહોત્સવ ઉજવવતો હતો ત્યારે આપડા પાડોશી દેશ અફઘાનિસ્તાનનો રાષ્ટ્રધ્વજ રાષ્ટ્રપતિ ભવન પરથી ઉતરતો હતો. આઝાદ દેશના રાષ્ટ્રપતિ પોતાનો જીવ બચાવી ગુપ્ત સ્થાને ભાગી ગયા હતા. અહી હું તાલિબાનની વાત કરી રહ્યો છું. તાલિબાને રાતોરાત કાબુલ પર કબજો જમાવી પોતાના તાલિબાની સહસ્થાપક મૌલાના અબ્દુલ ઘની ને રાષ્ટ્રપતિ ઘોષિત કરી દીધા. દુનિયા માનવજાતના હાલ કોરોના સામે લડી રહી છે જ્યારે અફઘાન પ્રજા પોતાના અસ્તિત્વ માટે લડી રહી છે; કોણ જાણે કઈ ગોળી ક્યારે, પોતાને કાળનો કોળિયો બનાવી દે! 15 ઓગસ્ટની મધ્યરાત્રિએ કાબુલ એરપોર્ટના દ્ર્શ્યો હૃદય હચમચાવી મૂકી તેવા છે. દુનિયામાં ભારત એવો દેશ છે જ્યાં ઉપરની પરિસ્થિતિ હવે ...

"ત્રણ દશક" : મારો જીવન વૃતાંત By Chandrasingh

છબી
  સંવત બેહજાર અડતાલીસ, શ્રાવણી શુક્લ પક્ષ બીજ! સને ઓગણીસો એકાનું, તારીખ ઑગસ્ટ અગિયાર. રાઠોડ કુળ "ફૂલસિંહ"ના દીકરી, અવતર્યો "ચંદાબા" કોખ. ભાસે દુબળો  વાને ગોરો, પિતા "ગાભૂસિંહ"ના ઘેર! બીજા ક્રમનું બાળ જાણી, હરખાય દાદા "વજેસિંહ". પિતાને મન' "રવીન્દ્ર" કહેશું, માતાને મન બાળ "બાબુ"! શશી સરીખું મુખ દીઠું, દાદા કહે "ચંદ્રસિંહ" શાળા પહેલી "સરગુડી" દીઠી, ભણી ચોપડી સાત! લિહોડામાં લે'ર  કરતાં,  થયો પ્રથમ નંબરે પાસ. વિનયન માં સ્નાતક કીધુ, અનુસ્નાતકે અમદાવાદ! પચીસ વરસે "માસ્તર" બન્યો, રોયલ સ્કૂલની માંહ્ય. મહાદેવની દ્રષ્ટિ ફળી, મળી મુજને પ્રેમાળ "અમી"! કિસ્મતે "કંડકટર" બની, ફરું સકળ વિરાટનગર. ત્રીસમા વર્ષે "અથર્વ" આવ્યો, જાગી જીવનની આશ! જન સેવાનું બીડું ઝડપ્યું, જન જન લેતો જ્ઞાન, "બાપૂ" નવું નામ દીધું, કરું ધોળકા તને પ્રણામ. વ્હાલા મારા વાચકોને, વ્હાલથી કરું પ્રણામ.      - ચંદ્રસિંહ જી પરમાર      ગામ : સરગુડી      તા: દહેગામ,. ગાંધીનગર

"રાખમાં રમતા તેતર..." By chandrasingh

છબી
  પ્રતીકાત્મક ચિત્ર: તેતર રાખમાં રમતા તેતર..., મને જોઈ ઊડી ગયા,  તૂટ્યું દલડું અરર કરી, ક્રીડા એમની ભંગ થતાં! હતો સઘળો પરીવાર એમનો, ભર બપોરે થાક ખાતાં તડકાના એ તાપ માહી, પીંછા ભરી રાખનાં! મહાદેવનું ઘર અનેરું, જાણે રમે ગોદીમાં પ્રભુ કેરો રંગ લાગ્યો, કોઇ નથી સ્વાર્થમાં! સ્વર્ગ તો, કોણે જોયું છે? "રાખ" મારી "સ્વર્ગ" બનતા ભગવો ભેખ જેણે ધર્યો છે, પામ્યા હરને હૃદયમાં! તેતર એ તાગ લીધો, કોઈ નથી રાખમાં લેટી લઉં આજ મન ભરીને, મોત આવે પળમાં! જન્મ્યો એનું મરણ નિશ્ચિત છે, કેમ જીવે ડરમાં યોની યોની ભટકી  આવ્યો, સાન આવ્યું મનુષ્યમાં! કહે "ચંદ્ર" જીવી લે આજ, કાળ બેઠો લાગમાં લાવ્યા શું તે લઈને જાશું, વંચાશે નામ ઈતિહાસમાં! ભાવાર્થ: પ્રસ્તુત કવિતા જીવનના દુઃખોથી હતાશ થયેલા, મનુષ્ય અવતારને તુચ્છ માની, આ અમૂલ્ય દેહમાંથી જીવ તત્વને દૂર કરવાનું વિચારતા મૂર્ખ લોકોને સંબોધીને લખાયેલ છે.  ચોમાસાની લીલોતરી ને નયનોમાં ભરી લેવા ભર બપોરે  હું જંગલમાં આંટો મારવા નીકળેલો, રસ્તા સ્મશાન પડે. જેવો હું બાજુમાંથી નીકળ્યો; રાખના ઢગલામાંથી ચાર તેતર ઉડ્યા. મને કુતૂહલ જાગતાં થોડો છેટો જઈ તેતર આવવાન...

આંબેડકરની આંગળી

છબી
  જોઈ તમારું પૂતળું, આવ્યો એક વિચાર, શું થાકતાં નથી તમે? દિશા કરતા નિર્દેશ! જ્યાં નજર મારી ઠરે, દીઠા એક જ "તું" આંગળી લાંબી કરતા, દિશા કરતા નિર્દેશ! બંધારણ તો બનાવ્યું, બની દેશના આગેવાન કાયદાના આ કાગળમાં, બન્યા કો'ક હેવાન કાયદાની એ આડમાં, કરતા ગુના અનેક છટક બારી થી બચી જતા, બન્યા કો'ક હેવાન સમાનતા ને બંધુત્વ, સ્વતંત્રતા ને સમ્માન, મળ્યા મને ખેરાતમાં, ન ભોગવી શક્યો "હું" (ભારતીય નાગરિક) અનામતના રાફડા હેઠળ ઘણું ઘવાયો "હું" (ભારતીય શાસન વ્યવસ્થા) આઝાદીના પાવન પર્વને, ન ભાખી શક્યો "હું" (ભારતીય નાગરિક) જાતપાતના રાજકારણથી  રહેજે ઘણો દૂર, ભણે "ચંદ્ર" ભારતીયને,  વિવિધતામાં એકતા કાજે રહેજે અખંડ ઓ શુર. - ચંદ્રસિંહજી પરમાર -"સરગુડી" સમજૂતી : આ કવિતા કોઈની જાતિગત લાગણીને ઠેસ પહોંચાડતી નથી. સાણંદ શહેરની વચ્ચે આવેલા ભારતરત્ન વિજેતા કાયદાશાસ્ત્રી બાબા સાહેબ આંબેડકરના પૂતળાને સંબોધીને લખાયેલ કવિતા છે. બાબાસાહેબ ના આદર્શો નો આજની તારીખમાં દુરુપયોગ થયી રહ્યો છે જેમાં પ્રથમ, અનામત પ્રથા છે; જેના કારણે શ્રેષ્ઠ યુવાધન ભારતની સેવા કરી શકતુ...